IPL 2020ની 24મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે કિંગ્સ ઇલેવન પંજાબ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ 11માં એક-એક ફેરફાર કર્યો છે. પંજાબની ટીમમાં શેલ્ડન કોટરેલની જગ્યાએ ક્રિસ જોર્ડન અને કોલકાતાની ટીમમાં શિવમ માવીની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણ રમી રહ્યો છે.
#KKR have won the toss and they will bat first against #KXIP.#Dream11IPL pic.twitter.com/J2C8tF6TQH
— IndianPremierLeague (@IPL) October 10, 2020
પંજાબની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, મંદીપ સિંહ, નિકોલસ પૂરન, સિમરન સિંહ, ગ્લેન મેક્સવેલ, મુજિબ ઉર રહેમાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ
કોલકાતાની પ્લેઈંગ 11: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, સુનિલ નારાયણ, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, પેટ કમિન્સ, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણ અને વરુણ ચક્રવર્તી
સીઝનમાં સતત 4 મેચ હાર્યા બાદ પંજાબ માટે કોલકાતા સામે કોઈપણ સ્થિતિમાં જીતવું તે પડકારભર્યું રહેશે. પોઇન્ટ ટેબલમાં KKR ચોથા નંબર પર અને પંજાબ આઠમાં ક્રમે છે.