કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ અને ચંદન એક નવા શોનું શૂટિંગ કરી રહ્યા છે. ટીવી શો ફનહિત મેં જારીનો એક ફોટો કૃષ્ણાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે તેણે જણાવ્યું કે સેટ પણ તેઓ ન્યૂ નોર્મલને કઈ રીતે ફોલો કરી રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં 13 જુલાઈએ ઘણા શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ કરવાની જાહેરાત થઇ છે. આવામાં ટીવી એક્ટર્સ પણ શોના સેટ પર રિલીઝ કરેલ ગાઇડલાઇન્સને ફોલો કરી રહ્યા છે.
કૃષ્ણાએ તેની પોસ્ટમાં લખ્યું કે, ઘણા સમય પછી શૂટિંગ કરી રહ્યો છું. દર 10 મિનિટ પછી હાથ સેનિટાઇઝ કરી રહ્યો છું. બીજા વ્યક્તિથી અંતર રાખી રહ્યા છીએ. કપડાં દરેક લંચ અને ડિનર બ્રેક પછી ધોવામાં આવે છે. સ્ટાફે કવર કિટ પહેરી છે અને અમારી આસપાસ નથી. આ છે અમારો નવો શો ફનહિત મેં જારી.
https://www.instagram.com/p/CCYCjd6HBIU/?utm_source=ig_embed
ચાર શોના સેટ પર કોરોના કેસની એન્ટ્રી
ટીવી ઇન્ડસ્ટ્રીમાં 19 માર્ચથી બંધ થયેલ કામ શરૂ થયાને હજુ બે અઠવાડિયા જ થયા છે, પરંતુ કોરોનાનું જોખમ સેટ પર પહોંચી ગયું છે. અત્યારસુધી મેરે સાઈ, સહ પરિવાર સહ કુટુંબ, એક મહાનાયક ડો. બીઆર આંબેડકર અને ભાભીજી ઘર પર હૈના સેટ પર કોરોના પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. ત્યારબાદ શોનું શૂટિંગ ત્રણ દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું હતું. સેટને સેનિટાઇઝ કર્યા બાદ અને અન્ય લોકોની તપાસ બાદ જ ફરીવાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.