Saturday, June 3, 2023
Homeટેક્નોલોજીઅંતરિક્ષમાં લૉન્ચ કરાશે 'મહાકાલ' સેટેલાઈટ: ISRO ચીફ

અંતરિક્ષમાં લૉન્ચ કરાશે ‘મહાકાલ’ સેટેલાઈટ: ISRO ચીફ

- Advertisement -

12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ભગવાન મહાકાલેશ્વરને ત્રણેય લોકના સ્વામી માનવામાં આવે છે. તેમને પાતાળ, પૃથ્વી અને આકાશમાં પ્રથમ અને સર્વ પૂજનીય દેવતા પણ કહેવામાં આવે છે. હવે ત્રણેય લોકના અધિપતિ ભગવાન મહાકાલના નામે એક સેટેલાઇટ પણ લોન્ચ થવા જઈ રહ્યો છે. ISRO ચીફે ઉજ્જૈનમાં દર્શન બાદ આપી આ વાતની જાણકારી આપી હતી. ઈસરોના ચીફ એસ. સોમનાથ ગઈકાલે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈન પહોંચ્યા અને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. મહાકાલેશ્વર મંદિરના પૂજારી રમણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી સોમનાથ શ્રીધર ભગવાન મહાકાલના આશીર્વાદ લેવાનું આયોજન કરી રહ્યા હતા. તેમને મંદિરની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પંડિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઈસરોના ચીફે એસ. સોમનાથે તેમને વચન આપ્યું છે કે તેઓ મહાકાલ નામનો સેટેલાઈટ પણ લોન્ચ કરશે.

ભગવાન મહાકાલના દેશ-વિદેશમાં કરોડો શિવભક્તો છે. હવે ભગવાન મહાકાલના નામ પર સેટેલાઇટ લોન્ચ કરવાથી તેની ખ્યાતિમાં વધુ વધારો થશે. સામાન્ય રીતે સેટેલાઇટનું નામ ભગવાનના નામ પર રાખવામાં આવતું નથી પરંતુ મહાકાલેશ્વર મંદિર સમિતિના પંડિતો અને પૂજારીઓ ભારતીય અંતરિક્ષ કેન્દ્રના આ નિર્ણયને આવકારી રહ્યા છે. પંડિત અને પૂજારીઓનો દાવો છે કે ભગવાન મહાકાલના નામે જે પણ સેટેલાઈટ અવકાશમાં છોડવામાં આવશે તે સફળતાપૂર્વક તેનું કાર્ય પૂર્ણ કરશે. અત્યાર સુધી પેસેન્જર બસો, ટ્રેનો અને સંસ્થાઓનું નામ ભગવાન મહાકાલના નામ પર રાખવામાં આવ્યું છે. આ પ્રથમવાર છે જ્યારે ભગવાન મહાકાલના નામ પર સેટેલાઇટ પણ અવકાશમાં છોડવામાં આવશે. ભગવાન મહાકાલને કાળના સ્વામી પણ કહેવામાં આવે છે. ભગવાન મહાકાલની ઘોષણા કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ જ કારણ છે કે મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા સ્થળોએ પણ ભગવાન મહાકાલના નામ પર સ્થાપના કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular