Saturday, April 20, 2024
Homeમહારાષ્ટ્ર : પ્રાઇવેટ કંપનીઓમાં 50 ટકા સ્ટાફને જ બોલાવવાનો હુકમ
Array

મહારાષ્ટ્ર : પ્રાઇવેટ કંપનીઓમાં 50 ટકા સ્ટાફને જ બોલાવવાનો હુકમ

- Advertisement -

મહારાષ્ટ્રમાં કોરોનાનાં વધી રહેલા કેસથી હડકંપ મચી ગયો છે, હવે મહારાષ્ટ્રે પણ કડકાઇ વધારી દીધી છે, શુક્રવારે જાહેર કરાયેલા હુકમમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે પોતાના 50 ટકા સ્ટાફને જ ઓફિસમાં બોલાવે, તે ઉપરાંત થિયેટર અને ઓડિટોરિયમને પણ 50 ટકા ક્ષમતા સાથે જ સંચાલિત કરવાનો હુકમ આપ્યો છે, તે જ રીતે યોગ્ય રીતે માસ્ક પહેર્યા વિના બહાર નિકળવા પર પણ પ્રતિબંધ રહેશે.

સરકારનાં હુકમમાં કહેવામાં આવ્યું છે કે થિયેટર કે ઓડિટોરિયમમાં પણ જો નાક નીચે માસ્ક હશે તો અન્ટ્રી નહીં મળે, દરેક સ્થાને આ પ્રકારની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે, તે ઉપરાંત ગેટ પર જ તાપમાન માપવાની વ્યવસ્થા રહેશે, તમામ ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ બોલાવવાનો હુકમ આપવામાં આવ્યો છે.

જો કે જરૂરી સેવાઓ અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલી સંસ્થાઓને રાહત આપવામાં આવી છે, ત્યાં જ સરકારી ઓફિસોનાં કેસમાં વિભાગોનાં વડાઓને તે અધિકાર આપવામાં આવ્યો છે, કે તે કર્મચારીઓની હાજરી અંગે નિર્ણય લે, અને તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનું કડકાઇથી પાલન કરવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular