ગાંધીનગર : દહેગામ શહેરમાં આવેલ ખાદી ભંડાર દ્વારા આજે જાહેર જનતાને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દહેગામ ના અગ્રણી જયદેવભાઈ બારોટ, મુકેશભાઈ વકીલ, મનોજભાઈ બ્રહ્મભટ, અને આર. જે. રાઠોડ માસ્ક વિતરણ કાર્યક્રમ માં સામેલ થયા હતા. દહેગામ શહેરમાં જુદી જુદી જગ્યાએ ગરીબોને જમવાનું અને માસ્ક આપીને ગરીબ જનતાની ખબર અંતર પણ પૂછવામાં આવી હતી. અને ઘરની બહાર ન નીકળવા પણ જણાવવામાં આવ્યું હતું.
દહેગામ શહેરમાં આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર તરફથી માસ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
ગરીબોને ઘરે જઈને તેમની ખબરઅંતર પૂછી ને જમવાની સુવિધા કરી આપવામાં આવી.
માસ્ક આપીને ઘરમાંથી બહાર ન નીકળવા સૂચના અપાઈ.
રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર