બોરસદ શહેરના વોર્ડ ત્રણના જાગૃત નાગરિક હરદીપસિંહ પઢીયારના જણાવ્યા મુજબ, બોરસદ પાલિકા દ્વારા બાટલા તળાવથી તો રનાવ માતા સુધી કોષનું કામ ચાલુ કરેલ છે. જેને કારણે મહાવીર સોસાયટી થી રાઠોડ ચોકડી સુધી આવેલ સોસાયટી અને મુખ્ય રોડ ને જોડતા ૬ જેટલા નાડા તોડી પાડયાં બાદ તંત્રએ ફરી કામગીરી હાથ ધરી નાડાને સાંકડા બનાવી દીધા હતાં. એટલું જ નહીં, માટી કામ પણ કરવામાં આવ્યું ન હતું. પરિણામે, બુધવારે થયેલા વરસાદના કારણે નાડા પરની તમામ માટી ધોવાઈ જતો નાના-મોટા ઠેરઠેર ખાડાઓ પડી ગયા છે. જેથી આસપાસની સોસાયટીના રહીશોને ત્યાંથી વાહન લઈને કે પછી પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી પાલિકા દ્વારા વહેલી તકે કામકાજ શરૂ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે. આ બાબતે બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચિત થતાં તેઓએ જણાવ્યું હતું કે, પાલિકામાં રજૂઆતો મળતા તંત્રએ તાત્કાલિક કામગીરી હાથ ધરી ટ્રેક્ટર મારફતે ડામર નાંખી અવર જવર માટે રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
KHEDA : બોરસદના વોર્ડ નં.-3 માં 6 થી વધુ નાળા વરસાદમાં ધોવાતા હાલાકી
- Advertisement -
બોરસદ શહેરમાં થયેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાતાં તારાજી સર્જાઈ છે. જેમાં ખાસ કરીને વોર્ડ નં.૩ના મહાવીરનગરથી રાઠોડ ચોકડી સુધી બનાવવામાં આવેલા કાંસ ઉપરના નાડાઓ ધોવાઈ જતો સૃથાનિકોને રસ્તા ના અભાવે ઘરમાં પુરાવાની ફરજ પડી હતી.
- Advertisment -