Friday, May 16, 2025
HomeદેશNATIONAL : જૈશ-તોયબાના વડા મથકો નામશેષ

NATIONAL : જૈશ-તોયબાના વડા મથકો નામશેષ

- Advertisement -

ભારતીય સેનાએ પાકિસ્તાને કબજે કરેલા પીઓકેમાં પાંચ જ્યારે પાકિસ્તાનની હદમાં ચાર મિસાઇલો છોડી હતી. પહલગામ હુમલાનો જવાબ આપવા માટે ભારતે જે નવ સ્થળોને પસંદ કર્યા હતા તેનો ઇતિહાસ ઘણો જ ખરડાયેલો રહ્યો છે. આ તમામ સ્થળોમાં મોટાભાગના પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા હતા. જેમાં આતંકીઓની તાલિમ આપવાથી લઇને આતંકી સંગઠનોના વડાઓની બેઠકો વગેરે થતા હતા. આ ઓપરેશનમાં સૌથી મહત્વપૂર્ણ ટાર્ગેટ બહાવલપુર માનવામાં આવે છે. આતંકી સ્થળો પર ભારતના આ હુમલામાં આતંકીઓના આકા માર્યા ગયાના પણ અહેવાલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular