- Advertisement -
નેશનલ ડેસ્કઃ પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષને મોકલ્યું છે. તેઓએ ટ્વીટ કરી રવિવારે આ અંગેની માહિતી આપી છે. જો કે નવજોત સિંહે પોતાનું રાજીનામું 10 જૂને જ આપી દીધું હતું પરંતુ તેનો ખુલાસો આજે કર્યો છે. સિદ્ધુએ રવિવારે એક ટ્વીટ કરી કહ્યું કે તેઓ પોતાનું રાજીનામું પંજાબના મુખ્યમંત્રીને મોકલી રહ્યાં છે.