- Advertisement -
તાજ મહેલમાં બોમ્બની ખબર ખોટી નીકળી છે. પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી બોમ્બ મૂકવાની ધમકી આપનારની ઓળખ કરી લીધી છે. હવે પર્યટકો માટે ફરી તાજ મહેલના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
આગરાના આઈજીએ કહ્યું છે કે બોમ્બની ખબર ખોટી નીકળી છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ફિરોઝાબાદમાં થી એક અજાણી વ્યક્તિએ બોમ્બની ખોટી માહિતી આપી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.