નવી દિલ્હીમાં બેન્કોના પદાધિકારીઓને મળ્યા બાદ નાણામંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. ફેબ્રુઆરીમાં બજેટ રજુ થવાનું છે અને બજેટમાં બેન્કીંગ ક્ષેત્ર માટેની મુશ્કેલીઓનો ક્યાસ કાઢવા અને બેન્કોના સૂચનો મેળવવા માટે પ્રિ-બજેટ મીટીંગ કરવામાં આવી હતી.
બેન્કોના પદાધિકારીઓને મળ્યા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે બેન્કોની પરમીશન વિના સીબીઆઈ કોઈ પણ કેસમાં દખલ નહી કરી શકશે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ 6 વર્ષના તળિયે એટલે કે 4.5 ટકાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે અને અર્થવ્યવસ્થા હજી વધારે કથળી રહી હોવાના અંદેશા છે. આરબીઆઈએ 110 બેસિસ પોઇન્ટનો દર ઘટાડીને નવ વર્ષના તળિયામાં 5.40 ટકા સુધી સીમીત રાખ્યો છે.