Friday, May 23, 2025
HomeNATIONALNATIONAL : રીયાસી આતંકવાદી હુમલા પર નૂપુર શર્માએ મૌન તોડ્યું, આંતકવાદીઓ પર...

NATIONAL : રીયાસી આતંકવાદી હુમલા પર નૂપુર શર્માએ મૌન તોડ્યું, આંતકવાદીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો

- Advertisement -

જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં રવિવારે થયેલા બસ આતંકવાદી હુમલા અંગે ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ‘આતંકવાદને કોઈપણ કિંમતમાં માફ કરી શકાય નહીં. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે.’

જમ્મુ-કાશ્મીરના રયાસીમાં રવિવારે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઇમાં પડી ગઈ હતી. આ આતંકી હુમલામાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ હુમલાનું કાવતરું પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની ઉશ્કેરણી પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ ઘડ્યું હતું. આ ઘાતકી હત્યાકાંડ ચાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમાંથી બે પાકિસ્તાની હોઈ શકે છે. આ આતંકવાદી કેટલાક દિવસોથી આ વિસ્તારમાં સક્રિય હતા.

આ ઘટનાની તમામ જગ્યા પર નિંદા થઈ રહી છે. ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માએ આ હુમલા પર પ્રતિક્રિયા આપી હતી. તેણીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું કે, ‘આતંકવાદને કોઈપણ રૂપમાં માફ કરી શકાય નહીં. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે. પીડિત પરિવારને સાંત્વના પાઠવી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.’

મંડીની લોકસભા સાંસદ કંગના રનૌતે પણ રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. તેણીએ લખ્યું કે, ‘હું જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરું છું. તે વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહ્યા હતા અને આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો. માત્ર એટલા માટે કે મુસાફરો હિંદુ હતા. તેઓ મૃત્યુ પામ્યા, હું તેમની આત્માને શાંતિ અને તે લોકોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.’

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular