ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે. અનેક કંપનીઓએ ઉત્પાદન કેટલાક દિવસ ઉત્પાદન બંાૃધ રાખ્યું છે. આ સેક્ટર સાાૃથે સંકળાયેલી નોકરીઓ પણ જોખમમાં છે. આ પરિસિૃથતિમાં નાણા પ્રાૃધાન નિર્મલા સિતારમણે ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના વિચારોમાં પરિવર્તન અને બીએસ-૬ મોડેલને જવાબદાર ગણાવ્યા છે.
નાણા પ્રાૃધાને જણાવ્યું છે કે ઓટોમોબાઇલ સેક્ટરની મંદી માટે અનેક પરિબળો જવાબદાર છે જેમાં બીએસ-૬ મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સાાૃથે સંકળાયેલા મુદ્દાઓ અને લોકોના વિચારોમાં પરિવર્તન જવાબદાર છે.
સીતારમણે જણાવ્યું છે કે આજે લોકો કારના ઇએમઆઇ ભરવાને બદલે મેટ્રોમાં અને ઓલા-ઉબરનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. જો કે તેમણે સ્વીકાર્યુ છે કે આ સેક્ટરમાં મંદી એક ગંભીર સમસ્યા છે અને તેનો ઉકેલ મેળવવો જ જોઇએ.
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ ાૃથવાના પ્રસંગે પત્રકારો સાાૃથેની વાતચીતમાં નિર્મલા સિતારમણે આ વાત જણાવી હતી. નાણા પ્રાૃધાને જણાવ્યું હતું કે અમે તમામ સેક્ટરની સમસ્યાઓ અંગે ગંભીર છીએ અને તમામ સેક્ટર માટે જરૃરી પગલા ભરવામાં આવશે. આ સરકાર સૌની સાંભળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે મોટી જાહેરાત કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ જરૃરી નિર્ણયો લેવામાં આવશે.
જો કે મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે ઓલા, ઉબરને કારણે કારોનું વેચાણ ઘટયું હોવાની વાતનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કારોનું વેચાણ ઘટવા માટે ઓલા કે ઉબર નહીં પણ સરકારની નીતિઓ જવાબદાર છે.
ભાર્ગવે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ઉંચા ટેક્સ દર અને રોડ ટેક્સને કારણે પણ લોકો કાર ખરીદવાનું ટાળી રહ્યાં છે. જો કે તેમણે જણાવ્યું છે કે જીએસટી ઘટાડવાાૃથી પણ કારોનું વેચાણ વાૃધવાનું નાૃથી. કારોમાં એરબેગ્સ અને એબીએસ સિસ્ટમ જેવા સુરક્ષા ઉપાયોને કારણે કારોની કીંમત વાૃધી ગઇ છે જે દ્વિચક્રી વાહનચાલકોની પહોંચાૃથી દૂર છે. ભાર્ગવે જણાવ્યું છે કે ઓલા, ઉબર તેના માટે જવાબદાર નાૃથી પણ કડક સુરક્ષા નિયમો, વીમાનો વધુ પડતો ખર્ચ અને વાૃધારે પડતો રોડ ટેક્સ કારોનું વેચાણ ઘટાડી રહ્યાં છે.