આજે ખેડૂત આંદોલનનો 38મો દિવસ છે. હાડ થિજાવતી ઠંડી વચ્ચે ખેડૂત પોતાની માગ માટે અડગ છે. સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પહેલાં ખેડૂત અને સરકાર વચ્ચે સાતમા તબક્કાની વાતચીતમાં સમાધાન તો ન થયું, પણ વિવાદના મુદ્દા પર સહમતી થઈ ગઈ છે. તો આ તરફ કૃષિ કાયદાના વિરુદ્ધ ગાઝિયાબાદમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોનાં ધરણાંમાં સામેલ એક ખેડૂતે ફાંસી લગાવી લીધી છે. કાશ્મીર સિંહે સુસાઈડ નોટમાં લખ્યું કે, સરકાર નિષ્ફળ થઈ ગઈ છે. છેલ્લે અમે અહીં ક્યાં સુધી બેઠા રહીશું. સરકાર સાંભળતી નથી. એટલા માટે હું જીવ આપી રહ્યો છું. અંતિમ સંસ્કાર મારા બાળકોના હાથે દિલ્હી-યૂપી બોર્ડર પર થવા જોઈએ. મારો પરિવાર, દીકરો-પૌત્ર અહીં આંદોલનમાં સતત સેવા કરી રહ્યાં છે.
ખેડૂતનો મૃતદેહ પોસ્ટમાર્ટમ વગર પરિવારજનોને સોંપી દેવાયો છે. યૂપી પોલીસે સુસાઈડ નોટ પોતાના કબજામાં કરી છે.
26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કરશે
જો માગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂત સંગઠનોએ આંદોલનને ધ્યાનમાં રાખીને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા દર્શન પાલ સિંહે કહ્યું કે, ટ્રેક્ટર પરેડ પ્રસ્તાવિત છે. આ ગણતંત્ર દિવસ પરેડ પછી કાઢવામાં આવશે.
ખેડૂત સંગઠનો તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યાં હતા, કરી રહ્યાં છીએ અને કરીશું. અમે લોકો દિલ્હીની સરહદ પર બેઠા છીએ, પણ નવા કૃષિ કાયદાને પાછા નહીં લેવામાં આવે.
સરકાર ગોળ ગોળ ફેરવી રહી છે
સ્વરાજ્ય પાર્ટીના નેતાય યોગેન્દ્ર યાદવે કહ્યું કે, સરકાર ખોટું બોલી રહી છે કે ખેડૂતોની 50 ટકા માગ સ્વીકારી લેવાઈ છે. તેનો હાલ કોઈ દસ્તાવેજ મળ્યો નથી. એક અન્ય ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે, ગત વખતની મીટિંગમાં અમે સરકારને 23 પાકને MSP પર ખરીદવા માટે કહ્યું તો તેમને ના પાડી દીધી હતી. ત્યારપછી તે કઈ વાત માટે દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
કાયદા વિરુદ્ધ ખેડૂતોનાં ધરણાં ઠંડીમાં પણ ચાલી રહ્યાં છે. ખેડૂતો સરકાર સાથે વાતચીત પહેલાં કડક વલણ દેખાડી રહ્યા છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કૃષિ કાયદો પાછો લેવા કરતા કંઈ ઓછું મંજૂર નથી. કૃષિ કાયદો પાછો નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ધરણાં-સ્થળ પર ખેડૂતે ફાંસી લગાવી
કૃષિ કાયદાના વિરુદ્ધ ગાઝિયાબાદમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોનાં ધરણાંમાં સામેલ એક ખેડૂતે ફાંસી લગાવી લીધી છે. ખેડૂતે ધરણાં-સ્થળ પર શૌચાલયમાં ફાંસી લગાવીને આપઘાત કર્યો છે. અત્યારસુધીમાં આ આંદોલનમાં 25થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે.