ચક્રવાતી વાવાઝોડુ નિવારથી થયેલા નુકસાનનું હજુ યોગ્ય મૂલ્યાંકન થઈ શક્યુ નથી ત્યારે હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની ચેતવણી આપી છે. જોકે, તેની મોટાભાગની અસર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના તટીય વિસ્તારો પર થઈ થશે. આ વખતે આ વાવાઝોડુ શ્રીલંકાના તટને ટકરાશે. અલબત તેની વધુ અસર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના તટીય પ્રદેશ પર પણ થશે. અહી 1થી 4 ડિસેમ્બર સુધી સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડા સમયે આ વિસ્તારોમાં 65-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.
D over SE BOB moved WNWwards,lay centered at 1130 hrs IST of today over the same region near Lat. 7.8° N/Long. 87.4°E, about 680 km east-southeast of Trincomalee (Sri Lanka).Very likely to intensify further into a DD during next 12 hours and into a CS during subsequent 24 hrs. pic.twitter.com/ryd6nd28Dz
— India Meteorological Department (@Indiametdept) November 30, 2020
2 ડિસેમ્બરના રોજ શ્રીલંકાના તટને ટકરાશે
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વાવાઝોડુ બંગાળની ખાડીમાં સર્જાયુ છે. આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બની જશે. 2 ડિસેમ્બરના રોજ શ્રીલંકાના તટ પ્રદેશ પર આવી પહોંચશે. દરમિયાન તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તેને લીધે દક્ષિણ કેરળમાં 3 ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થશે. જોકે 1 અને 4 ડિસેમ્બરના રોજ ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે. એવી જ રીતે લક્ષદ્વીપમાં 3 અને 4 ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થઈ શકે છે.
All India Weather Forecast & Warning video based on 30-11-2020 pic.twitter.com/L2GbZ7TBTJ
— India Meteorological Department (@Indiametdept) November 30, 2020
માચ્છીમારોને સમુદ્રમાંથી પરત ફરવા કહેવામાં આવ્યું
હવામાન વિભાગે માચ્છીમારોને સમુદ્રમાં નહીં જવા એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત જેઓ સમુદ્રમાં ગયેલા છે તેમને તાત્કાલિક પરત ફરવા કહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1લી ડિસેમ્બરની રાત્રીથી જ પવનની ઝડપ તેજ થઈ જશે. તે પ્રતિ કલાક 45-65 કિમી થઈ જશે. કોમોરિન એરિયા, મન્નારની ખાડી અને તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ તટ તેની ઝડપમાં આવી જશે.
25-26 નવેમ્બરની રાત્રે નિવાર વાવાઝોડુ આવ્યુ હતુ
4 દિવસ અગાઉ 25-26 નવેમ્બરની રાત્રે તમિલનાડુ-પુડુચેરીના સમુદ્રી તટ પર નિવાર વાવાઝોડુ આવ્યું હતું. તેમા 10 લોકોના જીવ ગયા હતા. વીજળીના થાંભલા, ઝાડ પડી ગયા હતા. અને ઘરોને નુકસાન થયુ હતું.