Friday, May 16, 2025
HomeબિઝનેસBUSINESS : ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી

BUSINESS : ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી

- Advertisement -

ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરતાં બજારોમાં ચિંતાનો માહોલ છે. નિષ્ણાતો માને છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી શકે છે, પરંતુ તેઓ અપેક્ષા રાખતા નથી કે તેના કારણે બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળશે. ઓપરેશન સિંદૂર એક શુદ્ધ બદલો હતો, જેનો હેતુ ફક્ત આતંકવાદી છાવણીઓ પર ત્રાટકવાનો હતો, આમ તે સ્પષ્ટ થાય છે કે ભારત તણાવ વધારવાનો પ્રયાસ કરતું નથી. આ કારણથી જ આજે ભારે વોલેટાલીટીના અંતે ભારતીય શેર બજારો પોઝેીટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.

આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે સામે પક્ષે ભારતના આ ચોક્કસ હુમલાઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે. ભારતના બદલો લેવાના પ્રયાસથી બજાર પ્રભાવિત થવાની શક્યતા ઓછી છે કારણ કે બજારને તે ખબર હતી અને આ મુદ્દો ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યો હતો.

આજની બજારની ચાલ પર નજર કરીએ તો સેન્સેક્સ તેના અગાઉના બંધ ૮૦,૬૪૧.૦૭ની સરખામણીમાં ૬૯૨ પોઈન્ટ ઘટીને ૭૯,૯૪૮.૮૦ પર ખુલ્યો, પરંતુ ટૂંક સમયમાં જ નુકસાનને દૂર કરીને ૨૦૦ પોઈન્ટથી વધુ વધીને ૮૦,૮૪૫ ના સ્તરે પહોંચ્યા બાદ વોલેટાલીટીના અંતે ૧૦૬ પોઇન્ટ વધીને ૮૦૭૪૭ બંધ રહ્યો હતો.

બજાર નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, બજાર પર ભવિષ્યની અસર તેના પર નિર્ભર રહેશે કે આ હુમલો કાબૂમાં રહે છે કે તેનો વિસ્તાર થાય છે. ભૂરાજકીય જોખમ ઊંચું રહેશે તો ભારતીય બજારોમાં વધુ વેચવાલી જોવા મળી શકે છે.

ટુંકમાં જો ઓપરેશન સિંદૂર ટૂંક સમયમાં સમાપ્ત થાય, તો બજારોમાં સ્માર્ટ રિકવરી જોવા મળશે. જો તે વિસ્તૃત થશે, તો અનિશ્ચિતતા બજારને ડૂબાડી દેશે.  આમ હાલમાં વેઈટ એન્ડ વોચની વ્યૂહરચના અપનાવવી જોઈએ.

ઓપરેશન સિંદૂર ઉપરાંત, બજાર માટે અન્ય મુખ્ય સંકેતોમાં આગામી વેપાર વાટાઘાટોનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોના મતે આ બીજો મોટો સંકેત હશે. વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી ભારતે ગઈકાલે યુકે સાથે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular