Friday, May 23, 2025
Homeસુરેન્દ્રનગરSURENDRANAGAR : પાટડીની આંગણવાડી નં-10મા સડેલા ચણાનું વિતરણ કરતા રોષ

SURENDRANAGAR : પાટડીની આંગણવાડી નં-10મા સડેલા ચણાનું વિતરણ કરતા રોષ

- Advertisement -
પાટડીની આંગણવાડી નં-૧૦મા સડેલા ચણાનું વિતરણ કરતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સીડીપીઓની તપાસ સુપરવાઈઝરની બેદરકારીથી સડેલા ચણાનું વિતરણ થયું હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં સુપરવાઇઝરને ૨૦થી વધુ નોટિસ ફટકારી પણ કામગીરીમાં કોઇ સુધારો થયો નહીં

પાટડીના વેલનાથનગરમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં.૧૦ દ્વારા ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પેકેટ ખોલતા જ તેમાં જીવાત અને સડી ગયેલા ચણા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે નગરપાલિકાના સદસ્ય અને જાગૃત મહિલાઓએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ સુપરવાઈઝર ગીતાબેન ખરચલીયાને જાણ કરી પરંતુ તેમના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો. જ્યારે સીડીપીઓ હંસાબેન પીઠવાને જાણ થતાં કેન્દ્રની મુલાકાત લીધી હતી જે દરમ્યાન મોટીસંખ્યામાં મહિલાઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જુના તેમજ સડી ગયેલા ચણાનો જથ્થો હોવા છતાં કેમ વિતરણ કરવામાં આવ્યો ? જે અંગેની તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન સુપરવાઈઝર ગીતાબેન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે લેખિતમાં જુનો જથ્થો વિતરણ કરવાની સુચનાઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular