પાટડીના વેલનાથનગરમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં.૧૦ દ્વારા ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પેકેટ ખોલતા જ તેમાં જીવાત અને સડી ગયેલા ચણા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે નગરપાલિકાના સદસ્ય અને જાગૃત મહિલાઓએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઇ સુપરવાઈઝર ગીતાબેન ખરચલીયાને જાણ કરી પરંતુ તેમના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો. જ્યારે સીડીપીઓ હંસાબેન પીઠવાને જાણ થતાં કેન્દ્રની મુલાકાત લીધી હતી જે દરમ્યાન મોટીસંખ્યામાં મહિલાઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જુના તેમજ સડી ગયેલા ચણાનો જથ્થો હોવા છતાં કેમ વિતરણ કરવામાં આવ્યો ? જે અંગેની તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન સુપરવાઈઝર ગીતાબેન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે લેખિતમાં જુનો જથ્થો વિતરણ કરવાની સુચનાઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
SURENDRANAGAR : પાટડીની આંગણવાડી નં-10મા સડેલા ચણાનું વિતરણ કરતા રોષ
- Advertisement -
પાટડીની આંગણવાડી નં-૧૦મા સડેલા ચણાનું વિતરણ કરતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. સીડીપીઓની તપાસ સુપરવાઈઝરની બેદરકારીથી સડેલા ચણાનું વિતરણ થયું હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં સુપરવાઇઝરને ૨૦થી વધુ નોટિસ ફટકારી પણ કામગીરીમાં કોઇ સુધારો થયો નહીં
ત્યાર બાદ સીડીપીઓ દ્વારા આ અંગે સુપરવાઈઝરને નોટીસ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત હંસાબેન પીઠવા દ્વારા પણ સુપરવાઈઝરની અનેક વખત બેદરકારી સામે આવી છે અને અત્યાર સુધીમાં અંદાજે ૨૦થી વધુ નોટીસ ફટકારી હોવા છતાં કામગીરીમાં કોઈ સુધારો ન થયો હોવાનું જણાવ્યું હતું. જે મામલે સુપરવાઈઝર ગીતાબેનના જણાવ્યા મુજબ એક કે બે મહિના જુના ચણા હોવાથી તેમાં ધનેરા પડી ગયા હતા અને દરેકના ઘરે પણ જીવાત તો પડી જ જાય છે તેવો વિવાદાસ્પદ જવાબ મહિલાઓને આપવામાં આવ્યો હતો. આથી આ વિસ્તારની મહિલાઓ તથા પાલિકાના સદ્દસ્ય સહિતનાઓ દ્વારા આ આંગણવાડી કેન્દ્ર બંધ કરી દેવામાં આવે તેવી પણ માંગ કરી હતી.
RELATED ARTICLES
- Advertisment -