રાજકોટના મવડી બાપા સિતારામ ચોકમાં આવેલા રિયલ પ્રાઈમના 12માં માળેથી પરિણીતાએ મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. આપઘાતનો બનાવ ગત મોડી રાતના 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. હાલ તો પોલીસ આપઘાતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.
આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની વિગત અનુસાર શહેરના મવડી બાપા સિતારામ ચોકમાં આવેલા રિયલ પ્રાઈમ એપાર્ટમેન્ટના સી-1201માં રહેતા ધારાબેન હિરેનભાઈ લીંબાસીયા (ઉં.વ.25) નામની પરિણીતાએ 12માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. પરિણીતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનુ સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હાલ તો પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.