Friday, March 29, 2024
Homeગુજરાતપાટણ : કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ

પાટણ : કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ

- Advertisement -

પાટણ શહેરમા દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો નોંધાતા તંત્ર સહિત નાગરિકોમાં ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે કોરોનાની સંકમણ ઘટાડવા માટે તંત્રની સાથે સાથે વિવિધ સંસ્થાઓ પણ પ્રયત્નશીલ બની કોરોના સામે રક્ષણ પુરું પાડતાં આયુર્વેદિક ઉકાળાનું શહેરના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે.

 

 

પાટણ શહેરના કાળીબજાર વિસ્તારમાં રવીવાર નાં રોજ પાટણ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા આયુર્વેદિક ઔષધી માંથી તૈયાર કરવામાં આવેલ ગરમા ગરમ ઉકાળા વિતરણ કાયૅક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જે ઉકાળાનો લાભ મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો એ લીધો હતો.

પાટણ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા આયુર્વેદિક ઉકાળા પીવા આવતાં લોકોને સરકાર ની ગાઇડ લાઇન નું પાલન કરવા ફરજીયાત માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી હતી.

આ આયુર્વેદિક ઉકાળા વિતરણ કાયૅક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટનાં આગેવાન ભૂરાભાઈ સૈયદ સહિતના આગેવાનો કાયૅકરો અને વિસ્તારના સેવાભાવી મુસ્લિમ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular