પાટણ જિલ્લામાં કોરોનાના કહેરને લઈને વેપારીઓ અને તંત્ર દ્વારા એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન આપાયું છે, જેને સહયોગ આપવા પાટણ માર્કેટયાર્ડ દ્વારા પણ એક સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
માર્કેટ યાર્ડે સ્વૈચ્છિક રીતે જોડાવા નિર્ણય લીધો
પાટણ માર્કેટ યાર્ડ દ્વારા એક સપ્તાહ માટે બંધ કરાયું છે. જેમાં વેપારીઓ અને ખેડૂતોને જાણાવાયું છે કે, પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણના વધારાને લીધે કલેક્ટર દ્વારા મંગળવારથી સોમવાર સુધી એટલે કે તા .20/ 04/ 2021 થી તા .26 / 04/2021 સુધી સમગ્ર જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. જ્યારે વેપારી એસોસીએશનના હોદ્દેદારો સાથે થયેલી ચર્ચા વિચારણાના અંતે માર્કેટ યાર્ડ પણ સહયોગ આપવા માટે સ્વૈચ્છિક રીતે જોડાવા નિર્ણય લીધો છે. મંગળવારથી આવતા સોમવાર સુધી સાત દિવસ માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણના મુખ્ય યાર્ડમાં તમામ જણસોની હરાજીનું કામકાજ બંધ રહેશે અને તા .27 / 04/ 2021ને મંગળવારથી રાબેતા મુજબ હરાજીનું કામકાજ ચાલુ થશે.