- Advertisement -
સ્વતંત્રતા દિવસ સમારોહમાં એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. આ પ્રસંગે સતત છઠ્ઠી વાર પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ભાષણ આપશે. તેઓએ આ ઐતિહાસિક પ્રસંગે આપનારા ભાષણ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, તમે 15 ઓગસ્ટના ભાષણ માટે આપની બહુમૂલ્ય સૂચનો અમને મોકલી શકો છો. તેને સામેલ કરતાં અમને ઘણી ખુશી થશે. લાક કિલ્લાની પ્રાચીરથી 130 કરોડ ભારતીય આપના વિચાર સાંભળશે. તમે નમો એપ પર મૂકવામાં આવેલા ફોરમાં આપની સૂચનો આપો.