Thursday, February 6, 2025
HomeદેશNATIONAL: રામ મંદિર બાદ PM મોદી UAE માં BAPS મંદિરનું કરશે ઉદ્ઘાટન.....

NATIONAL: રામ મંદિર બાદ PM મોદી UAE માં BAPS મંદિરનું કરશે ઉદ્ઘાટન…..

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ UAEની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે.માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના પ્રચાર માટે ભારત સરકાર અને PM મોદી ઘણા મોટા પગલાઓ લઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ, PM મોદીએ રામ લલ્લાના જીવનને પવિત્ર કરીને ભારતના સૌથી મોટા મંદિરનું ઉદ્ઘાટન કર્યું. હવે તેઓ મુસ્લિમ દેશ UAEમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વિદેશ મંત્રાલયે 10 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 ફેબ્રુઆરીએ UAEની મુલાકાત લેશે. આ બે દિવસની મુલાકાત દરમિયાન PM અબુ ધાબીમાં એક મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય પીએમ પોતાની મુલાકાત દરમિયાન UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને પણ મળશે.

વર્ષ 2015 પછી PM મોદીની યુએઈની આ સાતમી અને છેલ્લા આઠ મહિનામાં ત્રીજી મુલાકાત હશે. આટલા ઓછા સમયમાં ત્રીજી મુલાકાત બંને દેશોની નિકટતા દર્શાવે છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને UAE વચ્ચે ઘણા ક્ષેત્રોમાં કરારો થવાની અપેક્ષા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરના ઉદ્ઘાટનના સમાચારથી UAEમાં રહેતા હિન્દુઓ અને મંદિર પ્રશાસન ખૂબ જ ખુશ છે. આ મંદિર લગભગ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે,આ મંદિરમાં એક સમયે 10 હજાર લોકો પૂજા કરી શકે છે.

અબુધાબીમાં BAPS હિંદુ મંદિરના વડા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક, બ્રહ્મવિહારીદાસ સ્વામી નુ કહેવુ છે કે,આજે અમે સંવાદિતા માટે એક સુંદર ‘યજ્ઞ’ રાખ્યો હતો, અમારા PM નરેન્દ્ર મોદી, આ મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ ઉડાન ભરી રહ્યા છે, જેની શરૂઆત તેમણે વર્ષ 2015માં કરી હતી.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular