વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76માં એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે.. PM મોદીએ આ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન મોદી દેશમાં કોરોનાની બીજી લહેર, ઓક્સિજન કટોકટી અને વેક્સિનેશન કાર્યક્રમ વિશે વાત કરશે.
ગઈ વખતે આ બાબતે વાત કરી હતી
આ પહેલા તેમણે 28 માર્ચે મન કી બાતમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે લોકોનો આભાર માન્યો અને પર્યાવરણ બચાવવા પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો.આ માટે તેમણે દર વખતની જેમ કેટલાક પ્રેરણાદાયી ઉદાહરણો પણ આપ્યા હતા, જેમાં લોકોને કહેવામાં આવ્યું કે તેઓ પ્રકૃતિને બચાવવા માટે ઘણા મોટા પ્રયત્નો કરી રહ્યા છે. આ દરમિયાન PM મોદીએ ચકલી અને લાઇટ હાઉસ ટૂરિઝમની સાથે અમૃત મહોત્સવ, જનતા કર્ફ્યૂ, સદાબહાર જંગલો વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.