Friday, March 29, 2024
Homeરાજકોટ : રાજકોટ સરદારધામ ખાતે પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો, પાટીલથી લઈને મોદી...
Array

રાજકોટ : રાજકોટ સરદારધામ ખાતે પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો, પાટીલથી લઈને મોદી સુધીના લોકોને ટ્વીટ કર્યાં

- Advertisement -

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકોટમાં પાટીદાર મહિલાઓમાં વિરોધનો શૂર ઊઠ્યો છે. રાજકોટ સરદારધામ ખાતે પાટીદાર મહિલાઓએ વિરોધ કર્યો છે. મહિલાઓએ પાટીલથી લઈને મોદી સુધીના લોકોને ટ્વીટ કર્યાં છે. આ સાથે જ મહિલાઓનું કહેવું છે કે મહિલા સરપંચ તરીકે કોર્પોરેટરો હોય છે, પણ વહીવટ તો તેમના પતિ જ કરતા હોય છે; આ બદલવાની જરૂર છે.

સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માગ

સરદારધામનાં મહિલા આગેવાન શર્મિલા બાંમભણિયાએ ટ્વીટ કર્યું છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ રૂપાણી, ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ, કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડા, આપ- પ્રમુખ ગોપાલ ઈટાલિયા, NCP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલને ટ્વીટ કર્યાં છે અને સશક્ત મહિલાઓને ટિકિટ આપવા માગ કરી છે.

આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ ન આપવા માગ

પાટીદાર મહિલાઓની માગ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સશક્ત મહિલાઓને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ ન અપાય એવી રાજકીય પાર્ટીના અધ્યક્ષો પાસે માગ કરવામાં આવી છે. સમાજમાં સારું પ્રતિનિધિત્વ માટે સક્ષમ મહિલાને ટિકિટ આપવામાં આવે, શર્મિલા બાંમભણિયાએ કહ્યું હતું કે મહિલા સરપંચ હોવાથી તેમના પતિ જ વહીવટ કરતા હોય છે, જેને બદલવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular