જીલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી મિતાબેન ગઢવી ઉપસ્થિત રહ્યાં .
શાળા સંકુલમાં જિલ્લા શિક્ષણાઅધિકારી તથા બાળકોએ વુક્ષારોપણ કર્યું .
શાળા સંકુલમાં ૧૨૫ આયોવેદિક વુક્ષો નું વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું .
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રામપુર-વાધપુર પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા એક બાળક એક ઝાડ અભિયાન અંતર ગત વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં શાળા સંકુલમાં ૧૨૫ આયોવેદિક સહિત ના વુક્ષો નું વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું .
રામપુર-વાધપુર પ્રાથમિક શાળા ખાતે એક બાળક એક વુક્ષ અભિયાન અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી મિતાબેન ગઢવી ના હસ્તે વુક્ષારોપણ કરી શિક્ષણ વિભાગ ના અભિયાન ને શરૂઆત કરવામાં આવી હતી તો તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા એ પણ વુક્ષારોપણ કર્યું હતું જયારે રામપુર-વાધપુર પ્રાથમિક શાળા સંકુલમાં આયોવેદિક સહિત ના ૧૨૫ જેટલા વુક્ષો નું વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી મિતાબેન ગઢવી એ બાળકો ને વુક્ષો વિષે પ્રશ્નો પુછયા હતાં અને બાળકો ને વુક્ષો વિષે વિસ્તૃત માહિતગાર કર્યા હતાં અને વુક્ષો જીવનમાં જન્મ થી લઈને મૃત્યુ સુધી કેવી રીતે ઉપયોગી છે તે વિષે વિસ્તૃત જાણકારી આપી હતી તો મિતાબેન ગઢવી દ્વારા શાળા માં આવેલ પક્ષીઓ માટે ના ચબુતરા માં પક્ષીઓ માટે ચણ પણ ચબુતરા માં નાખ્યું હતું અને પક્ષી ઓને પીવા માટે પાણી પણ કુંડા માં ભર્યુ હતું તો આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા , સરપંચ મહેન્દ્ર સિંહ રાઠોડ , ડેપ્યુટી સરપંચ જાલમસિંહ રાઠોડ , SMC સભ્ય દેલુસિંહ રાઠોડ , ગામ આગેવાન મોતીસિંહ રાઠોડ , શાળા ના આચાર્ય પટેલ શૈલેષકુમાર નરસિંહભાઇ તથા શાળા સ્ટાફ તથા SMC સભ્યો સહિત વાલીઓ , ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં .
બાઇટ : મિતાબેન ગઢવી (જિલ્લાપ્રાથમિક શિક્ષણાઅધિકારી)
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા