Saturday, April 20, 2024
Home11 ઓક્ટોબરે રવિ પુષ્ય મહાયોગ બની રહ્યો છે, આ શુભ સંયોગમાં ખરીદારી...
Array

11 ઓક્ટોબરે રવિ પુષ્ય મહાયોગ બની રહ્યો છે, આ શુભ સંયોગમાં ખરીદારી અને રોકાણથી સમૃદ્ધિ વધે છે

- Advertisement -

11 ઓક્ટોબર રવિવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષમાં તેને રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે. આ યોગમાં ખરીદારી અને અન્ય શુભ કામ કરવાથી તેનો ફાયદો મળશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના જણાવ્યાં પ્રમાણે આ વર્ષનો પહેલો અને છેલ્લો રવિ પુષ્ય સંયોગ છે જે આખો દિવસ રહેશે. આ પહેલાં 12 જાન્યુઆરીએ સવારે લગભગ સાડા 4 કલાક માટે આ યોગ બન્યો હતો પછી 13 સપ્ટેમ્બરની રાતે બન્યો હતો. હવે 8 નવેમ્બરે સવારે સાડા 8 વાગ્યા સુધી જ રહેશે.

આ સ્થિતિ વર્ષમાં ત્રણથી ચાર વાર જ બને છે. એટલે દરેક પ્રકારના શુભ કામ અને નવા કામની શરૂઆત માટે 11 તારીખના રોજ બની રહેલો શુભ સંયોગ ખૂબ જ ખાસ રહેશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતું લેવડ-દેવડ, રોકાણ, ખરીદારી અને શરૂ કરેલાં કામથી ધનલાભ થાય છે.

પ્રોપર્ટીમાં રોકાણ અને ખરીદારી માટે શુભ દિવસ.

પં. મિશ્રાના જણાવ્યાં પ્રમાણે આ યોગમાં ખરીદારી ખૂબ જ શુભ ફળદાયી હોય છે. રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સવારે 6.20 વાગ્યાથી શરૂ થશે અને રાતે 1.20 વાગ્યા સુધી રહેશે. આ દિવસે હીરાના આભૂષણ, ઇલેક્ટ્રોનિક સામાન, ઓટોમોબાઇલ, જમીન, મકાન, કપડાં અને અન્ય ખરીદારી કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ સિવાય જમીન અને મકાનમાં રોકાણ કરવા માંગો છો તો આ દિવસ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ત્યાં જ, વાહન, ફર્નીચર, ઘરેણાં, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘરેલૂ સામાનની ખરીદારી પણ શુભ રહેશે.

27 નક્ષત્રોમાં 8મો પુષ્ય નક્ષત્ર છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવતાં 27 નક્ષત્રોમાં 8માં નંબરે પુષ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્ર ગુરુવાર અને રવિવારના દિવસે હોવાથી મહાયોગ બને છે. સાથે જ, સોમ અને શુક્રવારના દિવસે આ નક્ષત્રનું હોવું શુભ માનવામાં આવે છે. એટલે બધા નક્ષત્રોમાં પુષ્યને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ છે. રવિ પુષ્ય યોગમાં માંગલિક કાર્ય અને ખરીદારી કરી શકાય છે.

પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદારી સૌથી શુભ.

સોના-ચાંદી, વાહન અને પ્રોપર્ટી ખરીદવા માટે રવિ પુષ્ય નક્ષત્રને પવિત્ર માનવામાં આવે છે. બાર રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને પુષ્ય નક્ષત્રના બધા ચરણો દરમિયાન જ ચંદ્ર કર્ક રાશિમાં રહે છે. એટલે પુષ્ય નક્ષત્રને ધન માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular