કેટરિંગ એસોસિયેશનના પ્રમુખ પદની કરાઈ વરણી
ત્રીજી વખત મિલનભાઈ જોષીની કરાઈ વરણી
ગીરસોમનાથ જીલ્લામાં સોમનાથ કેટરિંગ એસોસિયેશનના પ્રમુખ પદે ત્રીજી વખત સોમનાથના મિલનભાઈ જોષીની વરણી કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં સોમનાથ ખાતે સાગર દર્શન ઓડીટોરીયમ હોલ ખાતે સોમનાથ કેટરિંગ એસોસિયેશન દ્વારા સામાન્ય સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતત ત્રીજી ટર્મ માટે સોમનાથ પ્રભાસપાટણ ના બ્રહ્મ સમાજના સેવાભાવી મિલનભાઈ જોષી ની સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના પ્રમુખ પદે વરણી કરવામાં આવેલ છે. જેમા ઉપ પ્રમુખ પદે કેશોદના વિનોદભાઈ પંડ્યા, મહામંત્રી પદે યાત્રાધામ પ્રાચી ના શાન્તુભાઈ બદિયાણી, ખજાનચી પદે વેરાવળ ના વિજયભાઈ ટાંક,સંગઠન મંત્રી પદે તાલાલા ના મેહુલ ભાઈ સુદ્રા સહિત ના હોદેદારોની સર્વ સંમતિથી વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં નવનીત ભાઇ ઉપાધ્યાય, રાજુ ભાઇ જોષી,સહિત તમામ કેટરસ મીત્રો હાજર રહ્યા હતા.
દિપક જોષી ,પ્રાચી, ગીર સોમનાથ