Friday, May 16, 2025
HomeદેશNATIONAL : સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ

NATIONAL : સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ

- Advertisement -

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. જ્યારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે ડિવિઝનલ કમિટીના સદસ્ય સહિત 8 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં તેલંગણાની ગ્રીન ફાયટર ટીમના 5 જવાનો શહીદ થયા હોવાનું સામે આવ્યું છે.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ એન્કાઉન્ટર તેલંગણા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની બોર્ડરના સંગમ પર સ્થિત કરીગુટ્ટા પહાડી વિસ્તારમાં થયું હતું. આ ઓપરેશનમાં સુકમા પોલીસ અને અન્ય સુરક્ષાદળો પણ સામેલ હતા. ગુપ્ત માહિતી મળતાંની સાથે સુરક્ષાદળો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કરીગુટ્ટા પહાડી ક્ષેત્ર નક્સલીઓનું ઠેકાણું છે, ત્યારે નક્સલીઓની ગતિવિધિઓની રોકવા અને આતંકીઓ ઠાર કરવા માટે ઓપરેશન શરુ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular