: ડાકોર શહેરમાં મંગળવાર રાતથી કમોસમી વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા છે. ડાકોર મંદિરથી ગોપાલપુરા, વડાબજાર ગણેશ ટોકિઝ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મંદિરના દરવાજા પાસે ઘૂંટણ સુધી પાણી ભરાતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જોકે, પાલિકા પાસે પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.
ડાકોરમાં વરસાદના પગલે મંદિર વિસ્તાથી માંડીને ગોપાલપુરા વડાબજાર, ગણેશ ડોકીઝ વિસ્તાર, મુખ્ય કુમાર શાળા, પુનિતપાર્ક સોસાયટી, નંદનગર સોસાયટી પરસોત્તમ ભુવન વિસ્તાર, ધારાસભ્યના પાસે પણ પાણી ભરાયા હતા.ડાકોરના પ્રવેશવાના માર્ગ પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત મંદિરના ગેટ પાસે ઘૂંટણ સુધી પાણી ભરાયેલા રહેતા દર્શન કરવા જવા ભક્તોને હાલાકી વેઠવાની નોબત આવી હતી. જોકે, વરસાદી પાણી નિકાલ માટે પાલિકા પાસે નક્કર આયોજન ન હોવાનુ ંસામે આવ્યું હતું. આ મામલે પાલિકાના ચીફ ઓફિસરને ત્રણ મહિના પહેલા જાણ કરવામાં આવી હતી પરંતુ કોઇ નિરાકરણ ાવ્યું નથી. પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઇન પણ નાખવામાં ન આવી હોવાની પણ ફરિયાદો ઉઠી છે.