- Advertisement -
ચેન્નાઇ, તા. 13 ઓગસ્ટ 2019 મંગળવાર
શ્રીલંકાના નૌકા દળે આજે સવારે રામેશ્વરમ નજીક ડેલ્ફ આયલેન્ડ પાસે ચાર ભારતીય માછીમારોની તેમની નૌકા સાથે અટકાયકત કરી હોવાની માહિતી મળી હતી.
ફરી એકવાર ભારત અને શ્રીલંકાની દરિયાઇ સીમાનો વિવાદ વકરી રહ્યો હોય એેવી છાપ આ ઘટનાથી પડી હતી. આ ચારે ભારતીય માછીમારોને શ્રીલંકાના કંગેસંથુરાઇ નૌકાદળ મથકે લઇ જવાયા હતા.