સુરતઃ હાલમાં ભારત સરકારના નેતૃત્વમાં વિદેશ સાથે સંબંધમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઈન્ડોનેશિયા અને ભારત વચ્ચે વેપાર સંબંધ વધુમા વધુ મજબૂત બને તેવા હેતુથી સુરતની મુલાકાતે ઈન્ડોનેશિયાના ગવર્નર રોહીદીન મેસીયા આવ્યા હતા. અને મગદલ્લા પોર્ટની મુલાકાત લીધી હતી.
ઈન્ડોનેશિયા-સુરતના સંબંધો પ્રસ્થાપિત કરવા રજૂઆત
ભારત અને ઈન્ડોનેશિયાના વેપાર સંબંધોમાં વધુ વધારો થાય અને સંબંધો ગાઢ બને તે હેતુથી લોજીસ્ટીકના પ્રમુખ અને સંચાલકો દ્વારા મગદલ્લા બંદરે ગવર્નર રોહીદીન મેસીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.અને મગદલ્લા પોર્ટની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. કોલ લોજીસ્ટીક્સ સંદર્ભે ઈન્ડોનેશિયા સરકાર અને સુરત શહેરના સંબંધો પ્રસ્થાપિત થાય તે માટે રજૂઆત કરાઈ હતી.