Friday, March 29, 2024
Homeસુરત : પાંડેસરામાં સાડીના ગોડાઉનમાં યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો
Array

સુરત : પાંડેસરામાં સાડીના ગોડાઉનમાં યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો

- Advertisement -

સુરતઃપાંડેસરા હાઉસિંગના જલારામનગર વિસ્તારમાં રહેતો યુવ ઘરેથી સાડીની દુકાને જાઉં છું તેમ કહીને ગયો હતો. બાદમાં સાડીની દુકાન ખુલી હોવાથી દુકાનદારે ફોન કર્યો પણ ન ઉપડતાં ગોડાઉનમાં જઈને તપાસ કરી તો યુવકની લટકતી લાશ મળી હતી.જેથી સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર આપઘાતનું કારણ જાણવા પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા
પાંડેસરા હાઉસિંગના જલારામ નગરમાં રહેતા કનૈયા કુમાવત(ઉ.વ.આ.24)ના સાડીની દુકાનમાં નોકરી કરતો હતો. પાંચ વર્ષ અગાઉ બીમલાબેન સાથે લગ્ન જીવનમાં હજુ કોઈ સંતાન નહોતું. કનૈયા કુમાવત ઘરેથી સાડીની દુકાને જાઉં છું તેમ કહ્યાં બાદ પરત ફર્યા નહોતાં. આ તરફ સાડીની દુકાન ખુલી હોવાથી દુકાનદારે ફોન કર્યો પણ ઉપડ્યો નહોતો. જેથી ગોડાઉનમાં તેમણે તપાસ કરતાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. દુકાનદારે તેને નીચે ઉતારી તાત્કાલિક રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં તો ફરજ પરતના તબીબોએ કનૈયાને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular