સુરતઃ અઠવાલાઈન્સ ખાતે આવેલી વનિતા વિશ્રામ સ્કૂલમાં વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતા વાલીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વાલીઓમાં રોષ ફેલાયો
અઠવાલાઈન્સ સાથે આવેલી વનિતા વિશ્રામ શાળામાં થોડા દિવસો પહેલાં ફી વધારાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ પણ ભાડામાં વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી આજે સ્કૂલ બંધ રાખવાનું વાલીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અને આજે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓને અભ્યાસથી અળગા રાખવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન એક રિક્ષાને રોકવા જતા વાલી પર રિક્ષા ચડાવી દેવાના પ્રયાસનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસની જનરે સામે આ ઘટના બની હોવા છતા કંઈ કાર્યવાહી ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. જોકે, ત્યારબાદ મામલો થાળે પડી ગયો હતો. જોકે, વાલીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.