સુરત શહેરમાં કોરોના સંક્રમણ ઉપર કાબૂ મેળવવો હવે વહીવટીતંત્ર માટે મુશ્કેલ બની રહ્યું છે. દર્દીઓને વેન્ટિલેટર અને જીવનરક્ષક ઇન્જેક્શન લઇને ભારે અછત વર્તાઈ રહી છે. રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી સુરતના ધારાસભ્ય હોય લોકોની તેમની અપેક્ષાઓ તેમની પાસેથી વધી જાય છે. આવા આપાતકાલીન સમયમાં આરોગ્યમંત્રી તેમની વ્હારે આવશે એવી લોકો આશા રાખીને બેઠા છે. પરંતુ લોકો જ્યારે કુમાર કાનાણી પાસે મદદ માંગે છે ત્યારે તેઓ પણ નિઃસહાય હોય તેવા ઉડાઉ જવાબ આપતા હોવાનો ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે.
લોકો ભારે અપેક્ષાથી ફોન કરે છે
શહેરમાં કોરોના સંક્રમણના પ્રથમ તબક્કામાં કરતા બીજા તબક્કામાં સ્થિતિ વધુ ગંભીર થઈ છે. દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. જે દર્દી સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થાય છે. તે પરત ફરશે ગેમ તેને લઈને પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પ્રજાને પોતાના પ્રતિનિધિઓ પાસેથી આવા સમયે પૂર્ણ પણે સહયોગ મળે તેવી આશા બંધાયેલી હોય છે. રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી સુરત વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. ત્યારે સ્વાભાવિક રીતે જ સુરતીઓને પોતાના શહેરમાં આવી પડેલી મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે આરોગ્યપ્રધાન પાસે અપેક્ષાઓ છે, પરંતુ આવી વિકટ સ્થિતિમાં આરોગ્યપ્રધાન પ્રજાના પ્રશ્નો સાંભળે છે. પરંતુ તેઓ પણ ઇન્જેક્શન માટે કશુ ન કરી શકે તેમ હોવાનું વાઈરલ ઓડિયોમાં જણાવી રહ્યાં છે.
વાઈરલ ઓડિયોમાં થયેલી વાતચીત
ફોન કરનાર: હલ્લો કુમાર કાનાણી આરોગ્યમંત્રી બોલો છો.. સાહેબ રેમડેસિવિર મળતા નથી તો ટોસિલિઝુમેબ ઇન્જેક્શન સુરતમાં કશે મળતું નથી તમે કોઈ જગ્યાનો રેફરન્સ આપશો ?
કુમાર કાનાણીનો જવાબ : એ તો મળવું છે શક્ય નથી ભાઈ.
ફોન કરનાર : તો અમદાવાદથી કે બીજે કશેથી મળે એવો કોઈ રેફરન્સ..
કુમાર કાનાણીનો જવાબ : ના…ના…ના…એ ઇન્જેક્શન તો હવે ક્યાં આવે જ છે.
ફોન કરનાર : સાહેબ કોઈને અર્જન્ટ જરૂર હોય તો શું કરવાનું..