Friday, April 19, 2024
Homeગુજરાતસુરેન્દ્રનગર : પીકઅપ વાન અનિયંત્રિત થઈને ખાડામાં પડી, 3નાં ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર : પીકઅપ વાન અનિયંત્રિત થઈને ખાડામાં પડી, 3નાં ઘટનાસ્થળે મોત

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારે ગમખ્વાર અકસ્માત (Road accident) સર્જાયો છે. જેમાં એક પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન અનિયંત્રિત થઈને ખાડામાં પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાનમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના લીંબડીના રાણપુર રોડ પર એક અકસ્માત થયો છે. જ્યાં પુસ્તકો ભરીને જઈ રહેલી એક પીકઅપ વાન વેજલકા નજીક પલટી મારી ગઈ હતી. પીકઅપ વાનમાં છ લોકો સવાર હતા. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ લોકોને 108ની મદદથી સારવાર માટે ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ચુડા પોલીસે (Chuda police) વધારે તપાસ શરૂ કરી છે.

 

મળતી માહિતી પ્રમાણે પીકઅપ વાન પુસ્તકો ભરીને રાણપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટીને બાજુના ખાડામાં પડી હતી. પિકઅપ વાન ઉપરથી ખાડામાં પડતા અંદર સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યું થઈ ગયા હતા. અન્ય ત્રણ લોકોને સારવાર માટે ખસેડાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular