વડોદરાના બહુ ચકચારી સ્વિટી પટેલ હત્યા કેસને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને હત્યારા પતિ અજય દેસાઈએ સ્વિટીનો મૃતદેહ સળગાવ્યા બાદ હાડકા અને અસ્થિ ઘાસમાં નાખ્યા હોવાની કબૂલાત પણ કરી છે. જેથી તપાસ ટીમ આ કેસના બંને આરોપીઓ અને FSL ને સાથે રાખીને વધુ તપાસ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, સ્વિટી પટેલ હત્યા કેસમાં PI અજય દેસાઈ અને કિરિટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ કેસમાં આખરે તેનો પતિ અજય દેસાઈ જ હત્યારો નીકળ્યો. પીઆઈ અજય દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કબૂલ્યું કે તેણે પત્ની સ્વીટી પટેલની હત્યા કરી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે હત્યા કેસમાં PI અજય દેસાઈ અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની અટકાયત કરી છે. હત્યા, ગુનાહિત ષડ્યંત્ર અને મદદગારીની કલમો મુજબ કરજણ ખાતે નોંધાયો ગુનો છે. પકડાયેલ બંન્ને આરોપીઓને વડોદરા ખાતે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે.