સુરતઃ ઉધનામાં રોડ નંબર ત્રણ પર આવેલા શાહ એન્ટરપ્રાઇઝ, રિષિત એન્ટરપ્રાઇઝના પરિસરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકની હત્યા કરાઈ હોવાની આશંકાના પગલે ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃત્યુનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.
મૃતક મૂકબધિર હતો
ઉધના ખાતે આવેલા રોડ નંબર 3 ધરતી નમકીન પાસે શાહ એન્ટરપ્રાઈઝ અને રિષિત એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાંથી મૂકબધિર ગુલામ આદમ પટેલ (ઉ.વ.આ.50) રહે. મીયાંગામ પાલેજનો મૃતદેહ મળી આવ્યો હતો. મોઢામાંથી વધુ પડતું લોહી વહી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. હાલ ઉધના પોલીસે હત્યાની આશંકા સેવીને વધુ તપાસ હાથધરી છે. મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાંઆવ્યો છે.