Sunday, March 23, 2025
Homeગુજરાતઆશ્રમ શાળાના કર્મચારીઓ માંગણી ન સંતોષાતા કલેકટર કચેરીએ ધરણા પ્રદર્શન

આશ્રમ શાળાના કર્મચારીઓ માંગણી ન સંતોષાતા કલેકટર કચેરીએ ધરણા પ્રદર્શન

- Advertisement -

આશ્રમશાળા કર્મચારી સંઘ ગુજરાતના આંદોલનાત્મક કાર્યક્રમ મુજબ આશ્રમ શાળાના કર્મચારીઓ માસ સી.એલ. પર ઉત્તરી જતા સરકારે નોંધ લેવી પડી હતી. ગુજરાતમાં આવતી 720 જેટલી આશ્રમ શાળાના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો સરકાર પાસે ઝડપી ઉકેલ થાય તે માટે વારંવાર ભૂતકાળમાં રજૂઆતો કરેલી છે. જેમાં 4200 ગ્રેડ પે, જૂની પેન્સન યોજના, સાતમાં પગારપંચના લાભો, ગૃહમાતા-ગૃહપતિ, ગુજરાત સરકારના એકમ કસોટી અંગેના પ્રશ્નો, વગેરેનો ઉકેલ લંબા સમયથી ન મળતાં કર્મચારીઓ રોષે ભરાયા છે.

જેથી 15 સપ્ટેમ્બરે દરેક જિલ્લા મથકે રેલી કાઢીને આવેદન આપ્યું હતું. છતાં સરકાર તરફથી કોઈ જવાબ ન મળતા કર્મચારીઓ માસ સી.એલ. પર જવા મજબૂર થયા હતા. અને હજુ પણ સરકાર નહીં સાંભળે તો આગામી દિવસોમાં ધારણા કાર્યક્રમ અને ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular