4200ના પે ગ્નેડને લઈને સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જૂના પરિપત્રને હાલ પૂરતો રદ્દ કરી શિક્ષકોને ઘી કેળા કરાવ્યા 2010 પછીના શિક્ષકોને આ નિર્ણયથી ફાયદો થશે. શિક્ષકોને વિવાદાસ્પદ પરિપત્ર થી 8000 થી વધુનું નુકશાન થઇ રહ્યું હતું. સરકારે 25/6/19 નો પત્ર સરકારે રદ કર્યા છે.
હવે એકપણ શિક્ષકને આર્થિક નુકશાન નહીં થાય આગામી સમયે હવે નીતિવિષયક પત્ર કરવામાં આવશે. આગામી બે મહિનામાં શિક્ષકોને લાભ મળતો શરૂ થશે. 4200 ગ્રેડ પે લેવા હકદાર તમામ શિક્ષકો ને લાભ મળશે.
2019 રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો. પરિપત્રમાં 4200નો પે ગ્રેડ ઘટાડવામાં આવ્યો હતો. 4200ના પે ગ્રેડને ઘટાડીને 2800 કરાયો હતો. પે ગ્રેડમાં પ્રમોશન અને આર્થિક આવકને નુકશાન હતું. હવે નવા ગ્રેડથી શિક્ષકોનું ફરી જુના ગ્રેડ મુજબ મળશે.