Friday, March 29, 2024
Homeબે વાવાઝોડા પસાર થયાના બે દિવસ બાદ આવશે ચોમાસુ
Array

બે વાવાઝોડા પસાર થયાના બે દિવસ બાદ આવશે ચોમાસુ

- Advertisement -

બે ચક્રવાતી વાવાઝોડા તાઉ-તે અને યાસ પસાર થયા બાદ હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ચોમાસાની ઉત્તરી સરહદ કોમોરિન સાગર (કન્યાકુમારી નજીક) સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી છે કે તે આગામી 2 થી 3 દિવસમાં કેરળના દરિયાકાંઠે પહોચી જશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે કહ્યું છે કે ચોમાસુ 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચી જશે.

કેરળમાં ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ આમ તો 1 જૂન છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી હતી કે 31 મેના રોજ પહોંચશે, તેમાં 4 દિવસ પ્લસ-માઈનસ રહેવાની શક્યતા જણાવવામાં આવી છે.

હાલમાં સામાન્ય ગતિથી આગળ વધી રહ્યું છે ચોમાસુ

ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે ચોમાસુ પહોંચવાની બે દિવસ આગળ-પાછળ રહેવાની શક્યતાઓ સાથે 30 મેની શક્યતા જણાવવામાં આવી છે. ચોમાસુ પોતાની સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે. અંદામાન-નિકોબારના દ્રીપ સમૂહમાં પોતાની નિર્ધારિત તારીખે 21 મે ના રોજ પહોંચ્યા બાદ તે સતત ઉત્તરી- પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તે 24 મે ના રોજ શ્રીલંકાના દક્ષિણ કિનારે પહોંચી ચૂક્યું હતું અને બે-ત્રણ દિવસમાં તે ઉત્તર કાંઠા નજીક પહોંચી ચૂક્યું છે.

ગુરુવારે ચોમાસુ માલદીવને પણ પાર કરી ચૂક્યું છે. મોનસૂનની ઉત્તરી સરહદ કેરળના દરિયાકાંઠેથી લગભગ 200 કિલોમીટર દૂર છે. તાઉ-તે વાવાઝોડું પસાર થયા દરમિયાન અને બાદમાં પણ કેરળમાં ભારે વરસાદ પડ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં જ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ ગુરુવારથી તેમાં ઘટાડો આવ્યો છે.

બંગાળની ખાડીમાં આવેલા યાસ વાવાઝોડાના કારણે પણ ચોમાસુ જલદી પહોચશે એટલે કે 27-29 મે સુધી પહોંચવાની શક્યતા જણાવવામાં આવી છે. પરંતુ હવે 30 મે એ એક જૂનની વચ્ચે જ ચોમાસુ પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે ચોમાસાના આગળ વધવા પર સતત નજર રાખી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular