Friday, March 29, 2024
Homeરાજકોટ : પોલીસ બંદોબસ્ત સાથે મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
Array

રાજકોટ : પોલીસ બંદોબસ્ત સાથે મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

- Advertisement -

કોરોના મહામારીને પગલે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક ફરમાવી છે. ત્યારે રાજકોટમાં સાદગીથી પણ શુકન સાચવવા માટે રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી છે. રથયાત્રાનું શુકન પૂરતા પૂજન માટે સવારે 4 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં જ 7 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી.

સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિકો દર્શન કરી રહ્યાં છે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે કોરોના મહામારીને લીધે સરકારે હાલ કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સંમેલન કરવા પર મનાઈ ફરમાવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવામાં આવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular