રૂપાલની પલ્લી નીકળશે કે નહીં આ સવાલનો જવાબ ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી દીધો છે. નીતિન પટેલે રૂપાલની પલ્લીને મુદ્દે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રૂપાલની પલ્લી નહીં યોજવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને આશા હતી કે ગ્રામના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી ખાલી ગ્રામજનો દ્વારા પલ્લીને કાઢવાની મંજૂરી મળશે.
પલ્લીના દિવસે રૂપાલમાં મીડિયા પર પણ પ્રતિબંધ
રવિવારે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી નીકળશે એવી લોકોને આશા હતી. પરંતું પલ્લીના દિવસે ગામમાં ઘીની નદીઓ વહે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ગ્રામજનોએ પરંપરા જાળવી રાખવા માટે ગામમાં પ્રવેશબંધી કરી હતી અને નિયમો સાથે પલ્લી કાઢવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે સુત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે રૂપાલમાં રવિવારે પલ્લીના દિવસે બહારથી આવનારાઓની સાથે મીડિયા પર પણ પ્રતિબંધ મુકાવામાં આવ્યો છે.