Saturday, May 24, 2025
HomeNATIONALNATIONAL : NDAમાં ખટપટ શરુ થઈ: મોદી કેબિનેટમાં સારુ પદ ન મળતા...

NATIONAL : NDAમાં ખટપટ શરુ થઈ: મોદી કેબિનેટમાં સારુ પદ ન મળતા 3 મહત્વના સાથી દળ નારાજ

- Advertisement -

મહારાષ્ટ્રમાં કેબિનેટની લડાઈ હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શિવસેના અને એનસીપી મોદી કેબિનેટમાં જગ્યા નહીં મળવાથી નારાજ હોવાનું કહેવાય છે. મોદી કેબિનેટમાં શિવસેનાને એક રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મળ્યો છે.

નવી દિલ્હી: કેન્દ્રમાં ફરી એક વાર ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની ગઈ છે. શપથ ગ્રહણ સમારંભ બાદ મોદી સરકાર 3.0 હવે નવેસરથી કામે લાગી ગઈ છે. પણ મોદી કેબિનેટ 3.0ને લઈને એનડીએમાં હવે ખટપટ શરુ થઈ ગઈ છે. મોદી કેબિનેટ 3.0માં જગ્યા નહીં મળવાથી ભાજપના કેટલાય સહયોગી દળોની નારાજગી ખુલીને સામે આવી ગઈ છે. શું શિવસેના અને એનસીપી, મોદી કેબિનેટમાં જગ્યા નહીં મળતા નારાજ છે, જી હાં, મહારાષ્ટ્રમાં એનડીએના બે ઘટક દળ એનસીપી અને શિવસેના નારાજ છે. તો વળી ઝારખંડમાં ભાજપની સહયોગી આજસૂએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

સૂત્રોની વાત માનીએ તો, મહારાષ્ટ્રમાં કેબિનેટની લડાઈ હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શિવસેના અને એનસીપી મોદી કેબિનેટમાં જગ્યા નહીં મળવાથી નારાજ હોવાનું કહેવાય છે. મોદી કેબિનેટમાં શિવસેનાને એક રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મળ્યો છે. પણ શિવસેના આટલાથી માનવા તૈયાર નથી. 7 સાંસદો હોવા છતાં કેબિનેટમાં જગ્યા નહીં મળવાના કારણે ખટપટ શરુ થઈ ગઈ છે. શિવસેના શિંદે જૂથના નેતા શ્રીરંગ બારણેએ તેને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, એનડીએમાં જે પાર્ટી 4 અને 5 સીટ જીતીને આવી છે, તેમને કેબિનેટ આપ્યું છે. તો વળી મહારાષ્ટ્રમાં અમે 7 સીટો જીતી છે, પણ એક પણ કેબિનેટ પદ નથી મળ્યું.

જો કે, શિવસેનાના નેતા અને એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેએ શ્રીરંગ બારણેના નિવેદનનું ખંડન કર્યું છે. તેમણે કોઈ પણ શરત વિના મોદી સરકારને બહારથી સમર્થનની વાત કહી છે. તેમણે કહ્યું કે, અમને પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, અમે સરકારને કઈ પણ શરત વિના ટેકો જાહેર કરી રહ્યા છીએ. આ દેશને મોદીજીના નેતૃત્વની જરુર છે. સત્તા માટે કોઈ સોદાબાજી અથવા વાતચીત થઈ નથી. અમે એક વૈચારિક ગઠંબધનને કોઈ પણ શરત વિના સમર્થન આપ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્ર નિર્માણના મહાન કાર્યને આગળ વધારે. પાર્ટી, તમામ ધારાસભ્યો અને સાંસદ એનડીએ પ્રત્યે પુરી નિષ્ઠાથી કટિબ્ધ છે.

ભલે શ્રીકાંત શિંદે નારાજગીના ખબરો પર ખંડન કરતા હોય પણ એનડીએમાં ખટપટ અન્ય જગ્યાએ પણ દેખાઈ રહી છે. અજિત પવારની આગેવાનીવાળી એનસીપીમાં પણ મોદી મંડળમાં જગ્યા નહીં મળવાથી નારાજ છે. સૂત્રોનું કહેવું છે કે, એનસીપી પ્રફુલ્લ પટેલને કેન્દ્રમાં મોકલવા માગતા હતા, પણ આવું થયું નહીં. ભાજપ તરફથી એનસીપીને રાજ્યમંત્રીની ઓફર આવી હતી. પણ એનસીપીએ તેને ફગાવી દીધી. એનસીબી કેબિનેટ મંત્રીથી નીચે કંઈ લેવા તૈયાર નહોતા. આપને જણાવી દઈએ કે, પ્રફુલ્લ પટેલ પહેલા પણ કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે. અજિત પવારની એનસીપીને રાજ્યમાં 4 સીટો પર ચૂંટણી લડી હતી, પણ તેમને એક જ સીટ પર જીત મળી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular