કંપનીની સંચાલકો દ્વ્રારા 400 થી વધું કામદારો ને છુટા કરાયાના આક્ષેપ સાથે ગત 12 માર્ચના રોજ કરનીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે 31 માર્ચ સુધી નીકાલ લાવવા આપ્યું હતું અલટીમેટમ.
સાવલી મંજુસર જીઆઈડીસીમાં આવેલી એનબીસી એન્જિનિયરિંગ લિમિટેડ નામની કંપનીમાં કામદારો પડતર પ્રશ્નોના મુદ્દે કરણી સેના દ્વારા કંપની પર તારીખ 13 એપ્રિલના રોજ ઝંડા અને દંડા દ્વારા દેખાવો કરવાની જાહેરાત કરવાના પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ.
કરની સેનાનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે પોલીસ તંત્ર ભારે સજજ બન્યું. જીઆઇડીસીના તમામ ઇન અને આઉટ રસ્તાઓ પર જબરજસ્ત ચેકિંગ હાથ ધરાયું. જીઆઇડીસીમાં પ્રવેશ કરનાર તમામ કામદારો તેમજ ઇસમોને આઈકાર્ડ તેમજ આધારકાર્ડ ચેક કરીને પ્રવેશ આપવામાં આવ્યો.
કરની સેનાની જાહેરાતના પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ 300થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્ત અર્થે ગોઠવવામાં આવ્યા.
રિપોર્ટર : ઇકબાલભાઈ, CN24NEWS, સાવલી, વડોદરા.