ઘણી વખત જૂની ઉઝરડાના દાગ ઘણા દિવસો રહે છે કે લાગે છે કે તે ક્યારેય ઓછા નહી થાય જ્યારે આ નિશાનો ચહેરા અથવા શરીરના કોઈ ભાગ પર હોય તો તે સૌથી વધુ દેખાય છે. જો તમે પણ તમારા જૂના ઉઝરડાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો. અમે તમને આવા અમુક ઘરેલું ઉપાય વિશે જણાવશું જે તમારા ઉઝરડાના દાગ તરત દેખાતા ઓછા થઇ જશે.
એલોવેરા.
એલોવેરાના પાનની છાલને દુર કરીને વધેલો ભાગ દાગ ઉપર લગાવો. ત્યાર પછી તેને અડધી કલાક સુધી એમનમ છોડી દો. ત્યારબાદ તેને ઠંડા અને સાફ પાણીથી ધોઈને તેને સાફ કરી લો. આવું દરરોજ દિવસમાં બે વખત કરવાથી તમારા શરીરમાં થયેલા ઉજરડા જલ્દીથી દુર થઇ જશે.
વિટામિન ઇ.
વિટામિન ઇ કેપ્સ્યુલને તેના તેલને સીધા ઉઝરડા પર લગાવો.અને ૧૦ મિનીટ સુધી ત્યાં માલીશ કરો. દરરોજ આમ કરવાથી દાગ ખુબ જલ્દીથી ઓછા થશે.
નાળિયેર તેલ.
નાળિયેર તેલને ગરમ કરી તેને લગભગ ૧૦ મિનિટ સુધી ઉઝરડા પર માલિશ કરો. ત્યારબાદ તેને લગભગ એક કલાક માટે એમનમ રાખો. આ પ્રક્રિયા દરરોજ ૨-૪ વખત કરવાથી થોડા સમય માજ દાગની સમસ્યા દુર થશે.
વિનેગર.
૪ ચમચી વિનેગરમાં ૨ ચમચી પાણી મિક્સ કરો. તે પછી રૂ વડે આ મિશ્રણ તમારા ઘા ઉપર લગાવો. દરરોજ રાત્રે સુતા પહેલા આ કરો અને સવારે ઉઠ્યા પછી તેને ધોઈ લો. ખુબજ જડપથી તમારા ઘાના દાગ દુર થશે.