Tuesday, April 16, 2024
Homeત્રીજી લહેર : પ્રજા અને સરકાર પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવે તો...
Array

ત્રીજી લહેર : પ્રજા અને સરકાર પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવે તો કદાચ ત્રીજી લહેરને કાબૂમાં રાખી શકાશે

- Advertisement -

દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને હજુ ત્રીજી લહેરની આશંકા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફક્ત સરકાર જ નહીં, અદાલતો પણ ત્રીજી લહેરને લઈને ચિંતિત છે. મહામારી નિષ્ણાતો કહે છે, આ ભવિષ્યવાણી અત્યારથી ના કરી શકાય, પરંતુ એટલું નક્કી છે કે જો હાલ પ્રજા અને સરકાર પોતાપોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે તો કદાચ ત્રીજી લહેરને કાબૂમાં રાખી શકાશે.

તમામ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધની જરૂર
નેશનલ કોવિડ ટાસ્કફોર્સના સભ્ય પ્રો. કે. શ્રીનાથ રેડ્ડીનું કહેવું છે કે ત્રીજી લહેરની સ્થિતિ જ ના સર્જાય, એના માટે સામાન્ય લોકો કોરોના એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરે અને સરકાર પણ એક વર્ષ સુધી દેશમાં તમામ મોટાં આયોજન પર રોક લગાવી દે. એમાં રેલી, ધાર્મિક આયોજનો જ નહીં, મોટી પાર્ટીઓ કે લગ્ન સમારંભો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવાય. આવું કરવાથી ના ફક્ત સંક્રમણની ગતિ ઘટશે, પરંતુ આ દરમિયાન મોટા ભાગનાને રસી આપીને તેમને સુરક્ષિત પણ કરી શકાશે.

વર્ષના શરૂઆતમાં લોકોએ છૂટછાટો લીધી
ગયા અઠવાડિયે દેશમાં ત્રીજી લહેરને અનિવાર્ય કહેનારા મુખ્ય વિજ્ઞાન સલાહકાર કે. વિજયરાઘવનનું પણ કહેવું છે કે જો આપણે આકરાં પગલાં લઈશું તો શક્ય છે કે ત્રીજી લહેર દરેક સ્થળે ના આવે. એ પણ શક્ય છે કે ક્યાંય ના આવે. જોકે આપણે કોરોના ગાઈડલાઈન્સનું કેટલું પાલન કરીએ છીએ એના પર તે નિર્ભર છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રલ બાયોલોજીના ડિરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલનું કહેવું છે કે આ વર્ષની શરૂઆતમાં લોકોએ ખૂબ છૂટછાટો લીધી હતી, જેને પરિણામો આપણી સામે છે. જો હજુ પણ આપણે ગાઈડલાઈન્સનું પાલન કરીએ અને મોટા ભાગની વસતિનું રસીકરણ કરીએ, તો શક્ય છે ત્રીજી લહેર એટલી ઘાતક ના રહે. (એજન્સી ઈન્પુટ સાથે)

અમેરિકા-બ્રિટન માને છે કે નવો ઈન્ડિયન વેરિયેન્ટ વેક્સિનથી બચી શકે છે
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથન માને છે કે કોરોનાના વેરિયેન્ટ બી.1.617ની ભારતમાં હાલની સ્થિતિમાં બહુ મોટી ભૂમિકા છે. એ ઈન્ડિયન વેરિયેન્ટ નામે પણ ઓળખાય છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પહેલીવાર ભારતમાં જોવા મળેલા આ વેરિયેન્ટને તેના સતત મ્યૂટેશનના કારણે ડબ્લ્યુએચઓએ ‘વેરિયેન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની શ્રેણીમાં રાખ્યો છે. જોકે અમેરિકા અને બ્રિટન એને ‘વેરિયેન્ટ ઓફ કન્સર્ન’ કહે છે. આ શ્રેણી એ વેરિયેન્ટ માટે હોય છે, જે મૂળ વાયરસથી વધુ ખતરનાક, વધુ સંક્રમક અને વેક્સિનની અસરથી બચી જાય છે. સ્વામિનાથન કહે છે કે ઝડપથી ડબ્લ્યુએચઓ પણ અમેરિકા-બ્રિટન સાથે સંમત થઈ શકે છે. જો આ વેરિયેન્ટ વેક્સિનથી બચી રહ્યો છે, તો એ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. આ વેરિયેન્ટના કેટલાક મ્યૂટેશન વધુ સંક્રમક છે અને વેક્સિન કે કુદરતી રીતે બનેલા એન્ટિબોડી સામે પણ લડે છે.

130 કરોડની વસતિમાં ફક્ત 3.54 કરોડ ડોઝ, એમાં પણ આવી ભૂલો

  • 3,54,59,119 લોકોને જ અત્યારસુધી રસીના બંને ડોઝ આપી શકાયા છે. 13,39,80,544 લોકોને પહેલો ડોઝ આપી શકાયો છે.
  • 4.93 લાખ લોકો આઈસીયુમાં ગયા છે અત્યારસુધી.
  • 9.14 લાખ લોકોને ઓક્સિજનની જરૂર પડી.

કેટલાક નિષ્ણાતોનો મતઃ વાયરસનો નવો વેરિયન્ટ આવે તો ત્રીજી લહેર શક્ય
વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિનના વડા ડૉ. પ્રો. જુગલ કિશોરનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે ત્રીજી લહેરની આશંકા ચિંતાજનક છે. એકથી દોઢ મહિનામાં સંક્રમણની ગતિ પૂર્વોત્તર ભારત તરફ વધશે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં ફરી આવી સ્થિતિ નહીં સર્જાય. હવે વાયરસનો કોઈ નવો વેરિયેન્ટ આવે, તો ત્રીજી લહેર આવી શકે છે. જોધપુરની એનઆઈઆઈઆરસએનસીડી (આઈસીએમઆર)ના ડિરેક્ટર ડૉ. અરુણ શર્મા કહે છે કે વિજ્ઞાનીઓને તમામ મ્યૂટેશનની ઓળખ કરવાનો સમય નથી મળતો, એટલે હાલ ગાઈડલાઈન્સનું પાલન જ બચવાનો ઉપાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular