વર્ષ ૨૦૨૪માં સુત્રો છે કે, નસસ, આપણું ભવિષ્ય, સાર-સંભાળની આથક શક્તિના વિષય ઉપર નસગ બહેનોનું સન્માન કરીને ૧૨મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષમાં ૨૦ હજાર નર્સિગ સ્ટાફ બહાર આવ્યા બાદ દર્દીઓ અને જરૃરીયાતમંદની સેવા કરે છે.દર્દીઓની સારવારમાં ડોકટર્સ પછી કોઇ મહત્વની ભુમિકા નિભાવતું હોય તો નર્સિગ સ્ટાફ છે.
ડોકટર્સ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારાવરમાં તેઓ કોઇપણ પ્રકારના ડર વગર, જીવની પરવા કર્યા, જીવની પરવા કર્યા વિના તેમની ફરજ નિભાવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦થી વધુ નર્સિગ સ્ટાફ વર્ષ ૨૦૨૬માં નિવૃત થવાના છે. જોકે આ સ્ટાફે દર્દીઓને યોગ્ય સારવાર તો આપી, પણ તેવા દર્દી સેવાચાકરી કરવા પણ આગળ પડતા રહે છે. જોકે તેમણે પ્લેગ, પુર, વાવાઝોડુ, ભુંકપ, કોરોના સહિતના ખુબજ સારી રીતે ફરજ બજાવી હતી. પણ રાજ્યમાં કે અન્ય રાજ્યમાં હોનારતમાં લોકોની સેવા કરવા ગયો હતો. જેથી દયાની દેવી ગણાતી નસગ બહેનોમાં વાણી, વ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે. એવુ નર્સિગ કાઉન્સલીંગના ઇકબાલ કડીવાલે કહ્યુ હતું. વધુમાં તેમણે કહ્યુ કે, ગુજરાતમાં સરકારી અને પ્રાઇવેટ નર્સિગ કોલેજ મળી ૪૫૦ જેટલી નર્સિગ કોલેજ છે. જોકે દર વર્ષ અંદાજીત ૨૦ હજાર નર્સિગ સ્ટાફ બહાર આવે છે. છેલ્લા બે વર્ષમાં લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા વિવિધ જેવા દેશોમાં ૩૦૦થી વધુ નસગ સ્ટાફ ગુજરાતમાંથી ભરતી થઈ છે. સાથે ૪૦૦થી વધુ નસગ સ્ટાફની દેશની વિવિધ એઈમ્સ હોસ્પિટલમાં કાયમી ભરતી થઈ છે.