કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મી અનિલ ચૌધરીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પાલિકાના તાલીમાર્થી કર્મીની પત્નીએ જણાવ્યું હતું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં 24 લાખ આપ્યા હતા. ત્યારબાદ 13 લાખ મકાન વેચીને આપ્યું હતું, જોકે, વ્યાજખોરોએ 30 લાખના ચેક નાખી રીટર્ન કરાવી નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તણાવમાં આવી ગયા હતા અને આ આકરું પગલું ભરી લીધું હતું.

એક વર્ષ પહેલા 15 લાખ આપવાના નીકળતા હોવાનો હિસાબ હતો
આપઘાતનો પ્રયાસ કરનાર અનિલની પત્ની યોગીતાએ જણાવ્યું હતું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકા વ્યાજ પર 25 લાખ રૂપિયા લીધા હોવાની વાત છે. બે વર્ષમાં 24 લાખ આપ્યા હતા. એક વર્ષ પહેલા 15 લાખ આપવાના નીકળતા હોવાનો હિસાબ હતો. ત્યારે 13 લાખ રૂપિયા મકાન વેચીને આપ્યું હતું. 10 લોકોની મધ્યસ્થી બાદ વ્યાજખોરોને ના પાડી હતી કે હવે રૂપિયા આપવા નહિ અને 2 લાખ આપીને પેપર આપવાની વાત હતી. જોકે, વ્યાજખોરોએ SBI 30 લાખના ચેક નાખી રીટર્ન કરાવી નોટિસ આપી હતી. જેથી અનિલ તણાવમાં આવી આ આકરું પગલું ભર્યું છે.