Tuesday, April 16, 2024
Homeટોપ ન્યૂઝયુપી : લખીમપુરમાં ખાનગી બસ અને ટ્રક સામસામે અથડાતા 8 લોકોના મોત

યુપી : લખીમપુરમાં ખાનગી બસ અને ટ્રક સામસામે અથડાતા 8 લોકોના મોત

- Advertisement -

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ખમરિયા પોલીસ ચોકી પાસે શારદા નદીના પુલ પર ડઝનેક મુસાફરોને લઈ જતી એક ખાનગી બસ અને ટ્રક સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 8 લોકોના મોત થયા હતા. આ દુખદ અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ખમરિયા પોલીસ ચોકી પાસે શારદા નદીના પુલ પર સર્જાયેલા અકસ્માતને લઈ લોકોના ટોલ એકઠા થઈ ગયા હતા. આ તરફ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. ડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવા સૂચના સાથે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular