વડોદરાઃ વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં ફુગ્ગા અગિયારસ નિમિત્તે એકબીજાને ફુગ્ગા મારતી વખતે એક જ કોમના બે જૂથ આમને-સામને આવી ગયા હતા. બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડા બાદ સામ-સામે પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને 5 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પથ્થરમારો થતાં દોડધામ મચી ગઇ
બે જૂથ વચ્ચે નજીવી બાબતે પથ્થરમારો થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. પથ્થરમારાની ઘટના બાદ પોલીસે નાગરવાડા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.