સ્વસ્થ રહેવા માટે માણસ અલગ-અલગ પ્રકારાની વાતો પર ધ્યાન જરૂર આપે છે, પરંતુ કેટલીક અવી નાની વાતો પણ હોય છે જેને નજર અંદાર કરવી સેહત માટે ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આ પ્રકારની જ ખાસ અને બેહતરીન નિયમો વિશે આજે અમે તમને જણાવીશુ, જે સેહતમંદ બની રહેવા માટે ડૉક્ટરો દ્વારા આપવામાં આવે છે. એટલુ જ નહી, પરંતુ તમારી દિનચર્યામાં સુધાર લાવશે, પરંતુ ઘણા પ્રકારની ગંભઈર બીમરીઓથી પણ તમને બચાવી રાખી શકે છે. આ 12 નિયમો વિશે તમારે નીચે બિંદુવત રૂપમાં જણાવવામાં આવી રહ્યુ છે. જેને ધ્યાનપૂર્વક વાંચો અને પોતાની દિનચર્યામાં સામેલ કરવા માટે ભરપૂર પ્રયાસ કરો.
આ નિયમોનુ કરો પાલન
- દરરોજ સવારે ઉઠ્યા બાદ તમારે સૌ-પ્રથમ એકથી બે ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. જે શરીરથી ટોક્સિક પદાર્થને કાઢવા અને પેટને સાફ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે.
- સવારે નાશ્તામાં કંઈક ખાધા પછી જ તમારે ચા પીવી જોઈએ, નહીતર સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
- કબજિયાતથી પીડિત લોકોને સાંજના સમયે પપૈયાનુ સેવન કરવુ જોઈએ. તે સિવાય ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોનુ પણ સેવન કરીને કબજીયાતમાંથી રાહત મેળવી શકાય છે. દાંતની સારી સંભાળ માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરો અને ત્યારબાદ એક ગ્લાસ પાણી પીને સૂઈ જાઓ.
- ભોજન કરતા સમયે ક્યારેય પણ પાણી ન પીઓ. તેનાથી પાચન ક્રિયા પર પણ વિપરીત પ્રભાવ પડે છે અને તમે ભરપેટ ભોજન પણ કરી શકતા નથી. હંમેશા જમ્યા પછી અડધો કલાક બાદ જ પાણી પીવો.
- રાત્રે સૂતા સમયે પોતાની આજુબાજુ મોબાઈલ ફોન ન રાખો. જેમાં કનેક્ટ થતા રેડિયો એક્ટિવ કિરણો તમારા દિમાગને સૂતા સમયે નુકસાન પહોંચાડી શકે છે.
- પ્રતિદિવસ એક્સરસાઈઝ અથવા યોગનો અભ્યાસ જરૂર કરો. તે તેમને ઘણી ગંભીર બીમારીઓના ખતરાથી બચાવી રાખશે.
- ફોનમાં વાત કરતા સમયે કોલનો જવાબ હંમેળા ડાબી બાજુના કાનથી જ આપો. એક વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે, ડાબી બાજુ ફોનનો જવાબ આપવાને કારણે ફ્રીક્વેંસી સારી રહે છે અને રેડિયો એક્ટિવ કિરણોનો પ્રભાવ પણ ઓછો થઈ જાય છે.
- ભોજન કર્યા બાદ સૂંઠ અને થોડો ગોળ જરૂરથી ખાઓ. જેથી પાચન ક્રિયા પણ સારી થઈ જાય છે.
- આયુર્વેદ પ્રમાણે, રાત્રીના સમયે દહીનુ સેવન કરવાથી બચવુ જોઈએ. તે મ્યૂકસના ડેવલપ થવાની સંભાવનાને વધારી દે છે.
- સાંજે 6 વાગ્યા બાદ ભોજન કરવુ જોઈએ નહી. જેથી તમારુ સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારુ રહે છે.
- ફ્રિજમાં રાખવામાં આવેલ ઠંડા પાણીનુ સેવન કરવાથી બચવુ જોઈએ. તે ન માત્ર ગળા માટે હાનિકારક છે, પરંતુ તમારી સેહતને પણ ઘણુ નુકસાન પહોંચાડી શકે છે.